Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જુનાગઢના શૈલેષભાઇ દવેનું જન્મદિને બેટી પઢાવો હેઠળ પ્રેરણાદાઇ કાર્ય

જુનાગઢ, તા.૧:  પરશુરામ ફાઉન્ડેશન, નાં ચેરમેન શૈલેષભાઇ દવેનાં ૫૦માં જન્મદિવસ નિમીતે '' દિકરી વ્હાલનો દરીયો'' તથા '' બેટી પઢાવો'' અંતર્ગત ગરીબ પરીવારની ૧૧ દિકરીઓને શૈક્ષણિક દતક લઇને શિક્ષીત દિક્ષીત કરવા છેલ્લા ચાર વર્ષથી કરવા આવ્યા છે.

આ સમારોહમાં જૂનાગઢ આઇ.જી.પી. રાજકુમાર પાંડિયન કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિસીપલ કમિશ્નર પ્રવિણ સોંલંકી કે, ડી. પંડયા, હસુભાઇ જોષી, મહેશભાઇ જોષી, જયદેવભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહી ૧૧ દિકરીઓને શિક્ષણ કીટ તેમજ સમરકેમ્પનાં બાળકોને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ છે.

શ્રી શૈલેષભાઇ દવેને ગુજરાત સરકારશ્રી દ્વારા ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળમાં ડાયરેકટર તરીકે પસંદગી પામતા ઉપસ્થિત મહાનુભાવોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ કાર્યક્રમની સફળતા માટે કૃષિ યુનિવર્સિર્ટીનાં નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. પી.વી. પટેલએ કાર્યક્રમ પૂર્વે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ ફાઉન્ડેશન મહિલા તેમજ યુવા પાંખે જહેમત ઉઠાવી હતી.

(1:57 pm IST)