Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મોરબીના પાડાપુલ પરથી ઉષા પાટડીયાએ મોતની છંલાગ લગાવી

લગ્ન ન નતા અને બિમાર રહેતા હોય આપઘાત કરી લેતા અરેરાટી

મોરબી ,તા.૧: મોરબીના પાડાપુલ પરથી યુવતીએ ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મોરબીના સતત ધમધમતા એવા પાડા પુલ પરથી  એક યુવતી નીચે કુદી ગયાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને પુલ પરથી પડતું મુકનાર યુવતીનું કમકમાટીભયું મોત થયું હતું જેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

 બનાવ અંગે તપાસ ચાલવતા ઈમ્તિયાઝ જામેં જણાવ્યું હતું કે મૃતક યુવતી ઉષાબેન ગોરધનભાઈ પાટડિયા હોવાનું જાણવા મળ્યું છે જે ત્રાજપર વિસ્તારની રહેવાસી છે તેમજ યુવતીના લગ્ન થતા ના હોય અને તે બીમાર રહેતી હોય જેથી અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બી ડીવીઝન પોલીસે યુવતીના આપદ્યાત અંગે વધુ તપાસ ચલાવી છે.

(1:47 pm IST)