Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભેસાણના અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રીમદ્ ભાગવત્ જ્ઞાનયજ્ઞ

ભેંસાણ તા.૧ : રામગઢ પ્લોટમાં ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી તા.૪ થી ૧૦ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રામગઢ ગૃપ તેમજ ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. વ્યાસાસને કથાકાર શાસ્ત્રી રાજુભાઇ એ.જાની બિરાજીને કથાનું રસપાન કરાવશે. આ જ્ઞાનયજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો તા.૪ના રોજ પોથીયાત્રા અને હેમાદ્રીશ્રવણ, તા.પના રોજ કપિલ જન્મોત્સવ અને નૃસિંહ જન્મોત્સવ, તા. ૭ના રોજ રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ, તા. ૮ ના રોજ ગોવર્ધન ઉત્સવ, તા. ૯ના રોજ રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ભાવભેર ઉજવાશે. આયોજનને સફળ બનાવવા માટે રામગઢ ગૃપના યુવાનો અને ગોપી મંડળના સદસ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:02 pm IST)