Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભાવનગરમાં કોરોના થી 12 ના મોત અને ૫૭૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જ્યારે ૨૨૧ દર્દીઓ બન્યા કોરોનામુક્તજિલ્લામાં નોંધાયેલા કુલ ૧૩,૭૮૬ કેસો પૈકી ૩,૭૬૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૫૭૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૩,૭૮૬ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૫૫ પુરૂષ અને ૧૫૫ સ્ત્રી મળી કુલ ૪૧૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૨૬, ઘોઘા તાલુકામાં ૨૧, તળાજા તાલુકામાં ૪૮, મહુવા તાલુકામાં ૯, વલ્લભીપુર તાલુકામાં ૫, ઉમરાળા તાલુકામાં ૭, પાલીતાણા તાલુકામાં ૧૪, સિહોર તાલુકામાં ૨૯ તેમજ ગારીયાધાર તાલુકામાં ૪ કેસ મળી કુલ ૧૬૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા છ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ વલ્લભીપુર તાલુકાનાં કાનપર ગામ ખાતે રહેતા એક દર્દી, ભાવનગર તાલુકાનાં કમળેજ ગામ ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામ ખાતે રહેતા એક દર્દીઓ અને મહુવા ખાતે રહેતા ત્રણ દર્દી મળી કુલ ૧૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૭૬ અને તાલુકાઓમાં ૪૫ કેસ મળી કુલ ૨૨૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૩,૭૮૬ કેસ પૈકી હાલ ૩,૭૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૧૫૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:35 pm IST)