Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભુરખિયા હનુમાનજી મંદિર કોરોનાના કારણે ૧૦ મી સુધી ભાવિકો માટે બંધ

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા. ૧ : દામનગર સુપ્રસિધ્ધ યાત્રાધામશ્રી ભુરખિયા હનુમાનજી મંદિર વધુ ૧૦ દિવસ માટે બંધ કોવિડ -૧૯ વધતા સંક્રમણથી અગાઉ મંદિર પ્રશાસન તરફથી તારીખ ૩૦/૪/૨૧ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ભોજન પ્રસાદ ઉતારા, ચા પાણી કેન્ટીંગ, દર્શન બંધ રાખવાની મુદત આજે તા. ૩૦/૪/૨૧ થી વધારીને આગામી તા. ૧૦/૫/૨૧ સુધી મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો છે. શ્રધ્ધાળુ ભાવિકો હવે તા. ૧૦/૫/૨૧ સુધી દાદાના દર્શન કરી શકશે નહીં.

લાખો શ્રધ્ધાળુ ભાવિકો યાત્રિકો સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાનજીના દર્શન માટે પ્રગાઢ શ્રધ્ધા ભાવ ધરાવતા હોય પણ કોવિડ -૧૯ની મહામારીના વધતા જતા સંક્રમણથી જન આરોગ્યને ધ્યાને રાખી મંદિર પ્રશાસને વધુ ૧૦ મંદિર બંધ રાખતો નિર્ણય કર્યો હતો.

(11:52 am IST)