Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે હનુમાન જયંતિની ઉજવણીનો કાર્યક્રમ બંધ રખાયો

ગુરુ ભાઈઓ તેમજ દર્શનાર્થીઓએ બગદાણા દર્શન કરવા માટે આવવું નહીં

બગદાણા : વિશ્વ વ્યાપિ કોરોનાવાઇરસની મહામારીને નાથવા સરકાર દ્વારા કરવામાં આવેલ લોકડાઉન અને માનવ જીવન બચાવવાના પ્રયત્નોને ધ્યાને લઈ રાષ્ટ્રપ્રેમી સંત શ્રી બજરંગદાસ બાપાની પરંપરા અનુસાર માનવ હિત અને રાષ્ટ્ર હિત પ્રથમને અનુસરી ગુરૂ આશ્રમ બગદાણા ખાતે હનુમાન જયંતિ (પુનમ)ની ઉજવણી કરવામાં આવશે નહીં તો દરેક ગુરુ ભાઈઓ તેમજ દર્શનાર્થીઓએ બગદાણા દર્શન કરવા માટે આવવું નહીં તેમ ગુરુઆશ્રમના ટ્રસ્ટી મંડળે જણાવ્યું છે

(9:07 pm IST)