Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાવરકુંડલામાં અનાજ વિતરણમાં અફરાતફરી ઘઉં-દાળની ક્વોલિટી ખરાબ હોવાની ફરિયાદ

ધારાસભ્યએ કલેક્ટર-મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યાં

અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અફરાતફરી થતાં ધારાસભ્યો પ્રતાપ દુધાત સ્થળ પર દોડી આવ્યા હતા અને ધારાસભ્યએ કલેક્ટર-મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યાં હતા.

 દાળ અને ઘઉં ખુબજ ખરાબ ક્વોલિટીના જોવા મળી રહ્યાં છે. સડી ગયેલા ઘઉં અને દાળ લેવા લોકો મજબુર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

(12:38 pm IST)