Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ઉનાના સમીર અને જાખરવાડામાં બહાર આંટા મારવા નીકળેલા ૫ યુવાનો સામે જાહેરનામાનો ભંગનો ગુન્હો

ઉના,તા.૧ : ઉનાના સમીર અને જાખરવાડામાં લોકડાઉન દરમિયાન બહાર ફરવા નીકળતા ૫ શખ્સોને પોલિસે પકડીને જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધ્યો છે.

સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે સારૂ કોઇપણ વ્યકતીએ બીન જરૂરી ઘરની બહાર નીકળવુ નહિ કે અવર જવર કરવી નહી અને જીલ્લાની હદ ક્રોસ કરવી નહી જે અનુસંધાને પો.સબ.ઇન્સ. કે.વી. પરમાર તથા પો.હેઙકોન્સ. પી.બી. મોરી તથા એસ.બી. છેલણા તથા પી.એચ. રાયજદા પો.સ્ટે. વિસ્તારકમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તા. ૩૦/૯/૨૦૨૦ના રોજ સમીર ગામે આશ્રમ પાસેથી કિનાભાઇ ભુપતભાઇ સોલંકી જાતે- દે.પુ. ઉ.વ. ૨૨ ધંધો- મજુરી રહે- ગામ દુધાળા તથા ઘુઘાભાઇ ઉર્ફે ઘુઘલો હસુભાઇ વાઘેલા જાતે-દે.પુ. ઉ.વ. ૧૯ ધંધો- મજુરી રહે- ગામ દુધાળા તથા જાખરવાડા ગામેથી અરવિંદભાઇ દેગણભાઇ બાંભણીયા જાતે-કોળી ઉ.વ.૨૫ ધંધો- માછીમાર રહે- જાખરવાડ તથા ભરતભાઇ ભોજાભાઇ ડોડીયા જાતે-કોળી ઉ.વ. ૨૮ ધંધો- રીક્ષા ડ્રાઇવીંગ રહે- જાખરવાડા, રવિભાઇ અરવિંદભાઇ ચારણીયા જાતે-કોળી ઉ.વ. ૨૦ ધંધો- ડ્રાઇવીંગ રહે-જાખરવાડા. જાહેરના લટાર મારતા મળી આવતા ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી તપાસ પો.હેડ.કોન્સ. પી.બી. મોરી તથા પો.હેડ. કોન્સ. એમ.જે. વાળા નાઓ ચલાવી રહ્યા છે.

(12:05 pm IST)