Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉનમાં વેરાવળ-સુત્રાપાડા તાલુકામાં ખાતર-દવાની વ્યવસ્થા ગોવિંદભાઇ પરમારે કરાવી

પ્રભાસપાટણ તા.૧ : વેરાવળ સૂત્રાપાડા તાલુકાઓમાં લોકડાઉનના કારણે તમામ દુકાનો બંધ હોવાથી ખેડુતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે ખેડુતોનો ઉભો પાક બગડે નહી અને આર્થિક મુશ્કેલી ન સર્જાય તે માટે કાજલી યાર્ડમાં એગ્રોની ર દુકાનો ખોલાવીને ખરીદી કરાવી હતી.

આ દુકાનો ખોલાયા બાદ લોકડાઉનના નિયમનો અમલ થાય તે રીતે ખેડુતોએ એકબીજાથી ૩ ફુટનું અંતર રાખીને ખાતર તથા દવાની ખરીદી કરી હતી.કાજલી ગામના સરપંચ મેરગભાઇ બારડ અને ખેડુતો ઉમટી પડયા હતા.

(10:37 am IST)