Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ભરૂડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ર૦ કિ.મી. વિસ્તારના રહેવાસીઓના વાહનોને રાહત

કાર જીપ જેવા વાહનોને ૭પ ટકા જયારે કોમર્શિયલ વાહનોને પ૦ ટકા રાહત

ગોંડલ : રાજકોટ જિલ્લાના નેશનલ હાઇવે  ર૭ ઉપર ગોંડલ પાસે ભરૂડી ટોલ પ્લાઝા અને જેતપુર પાસે પીઠડીયા ટોલ પ્લાઝા આવેલ છે. વર્ષોથી ટોલટેક્ષના માર સહન કરતા પ્લાઝાના ર૦ કિ.મી. વિસ્તારમાં રહેતા લોકો માટે રાહતની જાહેરાત કરવામાંઅ ાવી છે.

રાહતની જાહેરાત અંગે ભરૂડી ટોલ પ્લાઝાના મેનેજર હમસુખભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ટોલ પ્લાઝાથી ર૦ કિલોમીટરના એરીયામાં આવતા પ્રાઇવેટ વાહનો જેવા કાર, વેન, જીપ માટે ૭પ ટકા ડીસ્કાઉન્ટ એટલે કે રૂ.૪૦ની જગ્યાએ ફકત ૧૦ ટોલ ટેક્ષ ભરવાનો રહેશે જયારે કોમર્શિયલ વાહનો માટે પ૦ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.

આ સ્કીમનો લાભ લેવા માટે વાહન ચાલકોએ ટોલ પ્લાઝાની ઓફિસે આરસી બુક આધારકાર્ડ અને ઇલેકશન કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે અને વાહન ઉપર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત રહેશે. જો ફાસ્ટેગ નહી લગાવેલ હોય તો રાબેતા મુજબ ડબલ ટોલ ટેકસ ભરવાનો રહેશે.

(11:57 am IST)