Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

જામનગરના જાણીતા પત્રકાર ગિરીશ ગણાત્રા યુવાન પુત્ર ગુંજન નું જામનગર-ખંભાળિયા હાઇવે ઉપર બે બાઇક સામસામે અથડાતાં અકસ્માતમાં કરૂણ મૃત્યુ નીપજેલ છે : આ સમાચાર થી પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

જામનગર-ખંભાળિયા હાઇવે પર એરપોર્ટ નજીક જામનગરના પત્રકાર ગિરીશ ગણાત્રા ના યુવાન પુત્ર ગુંજનનું  બાઈક સામ સામે અથડાતાં ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે. મોડીરાત્રે અકસ્માતના આ બનાવથી આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજતા ગમગીની ફેલાઈ છે. તસ્વીરમાં અકસ્માત સ્થળે બન્ને બાઇકો અને મૃતક ગુંજન ગણાત્રાની ફાઇલ તસવીર દ્રશ્યમાન થાય છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(12:59 am IST)