Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ઉપલેટા આહીર આગેવાનોના નિવાસ્‍થાને સ્‍વામીનારાયણ સંપ્રદાયના કથાકાર શ્રી માધવપ્રિય દાસજીની પધરામણી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧ : યુવા હિન્‍દુ સમ્રાટ જીતુભાઈ સુવા તથા સ્‍કુલ બોર્ડેના ચે૨મેન અને ભાજપના યુવા અગ્રણી નિકુલભાઈ ચંદ્રવાડીયાના નિવાસ્‍થાને આંતરરાષ્‍ટ્રીય કથાકાર શ્રી સ્‍વામીનારાયણ એસ.જી.વી.પી, સંસ્‍થાના વડા ગુરૂવષઁ પૂજય શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી તથા સાથે અન્‍ય પૂજય સંતો પણ પધારી ઉપસ્‍થીત બહોળી સંખયાના હરિભક્‍તોને સનાતન હિન્‍દુ ધર્મે વિશે તેમના મહાત્‍મયનું તથા માણસના જીવનમાં ધર્મેનું શું મહત્‍વ છે તેની માહીતી આપી હતી. આ પ્રસંગે અહિંના આહીર સમાજના અગ્રણી અને પુર્વે નગર દાનભાઇ ચંદ્રવાડીયા,  કનુભાઇ સુવા, મંદિરના પુજારી પબાબાપા ભગત, યોગગુરૂ ભેડા સાહેબ, ભરતભાઇ પટેલ, ડેર સાહેબ, મહેશભાઈ તથા ઉપેનભાઇ સહીત મોટી સંખયામાં ઉપસ્‍થીત હરિભકતોએ સ્‍વામીજીની અમળતવાણીનો લાભ લીધેલ હતો.

(10:12 am IST)