Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

રવિવારે ભાવનગર ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા

ભાવનગર તા.૧: ISKCON (INTERNATIONAL SOCIETY for KRISHNA CONCIOUSNESS) GBC આચાર્યશ્રી ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ (દિલ્હી)તેમજ ભાગવતા ચાર્ય શ્રી રાધાગોવિંદ ગોસ્વામી મહારાજ (વૃદાવન ઉ.પ્ર.) તેમજ અન્ય મહાન સંતો-મહાત્માઓ પ્રચાર અર્થે ભાવનગર શહેર ખાતે પધારવાના હોય ઇસ્કોન મંદિર, લીલા સર્કલ થી સીદસર રોડ, ભાવનગર દ્વારા તા.૩-૦૧-૨૦૧૯ થી ૯-૦૧-૨૦૧૯ સુધી શ્રવણ કિર્તન ઉત્સવ તેમજ તા.૬ને રવિવારના ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ રથયાત્રા દરમ્યાન ૩૦૦ કિલો ચણા, ૩૦૦ કિલો ગુંદી અને ખીચડી પ્રસાદ દર્શનાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

શ્રીજગન્નાથજીની રથયાત્રા ગાયત્રી મંદિર (ચીત્રા)થી બપોરે ૧૨ કલાકે પ્રસ્થાન થશે અને સાંજે ૮ કલાકે ઇસ્કોન મંદિરે વિરામ લેશે રથયાત્રાના રથની ઉંચાઇ ૧૮ ફૂટ રહેશે. આ યાત્રામાં ૩-બળદગાડા, ૩-ઘોડાગાડી,૨-ઉંટગાડી, ૫-ટ્રેકટર, ૫- ટેમ્પા, ૨-બગી અને અંદાજે ૧૫૦૦૦ ભકતો જોડાશે.(૭.૪)

(12:06 pm IST)