રાજકોટ
News of Friday, 31st December 2021

રૈયાધાર પાણીના ટાંકા પાસે બાંધકામ સાઇટ પર વિજકરંટથી મજૂરનું મોત

મુળ મધ્યપ્રદેશના પપ્પુ મેડાને હોસ્પિટલે ખસેડાયો પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૩૧: રૈયા ૧૫૦ રીંગ રોડ શિતલપાર્ક પાસે રહેતો અને રૈયાધાર પાણીના ટાંકા પાસે નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર કડીયા કામની મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના પપ્પુ કાશીરામભાઇ મેડા (ઉ.૨૦)નું સાઇટ પર હતો ત્યારે વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારજન અને સાથી મજૂરોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મધ્યપ્રદેશનો પપ્પુ તેના મોટા ભાઇ સાથે અહિ કડીયા કામ-ભરાઇની મજૂરી કરતો હતો. સાંજે સાતેક વાગ્યે સાઇટ પર વિજ કરંટ લાગતાં બેભાન થઇ જતાં સાઇટ પર હાજર જયેશભાઇ સહિતે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. યુનિવર્સિટી પોલીસને હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં એએસઆઇ સાજીદભાઇ ખેરાણીએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:16 pm IST)