રાજકોટ
News of Thursday, 26th April 2018

મોહિની અકાદશીના પુનિત પર્વે SGVP ગુરૂકુલ રીબડા (રાજકોટ) ખાતે યોજાયેલ મહાપૂજાનો કાર્યક્રમ

રાજકોટ તા.૨૬ શાસ્ત્રો અને સત્પુરૂષોના કથનાનુસાર શ્રધ્ધાથી કરાયેલ મહાપૂજા મનોવાંછિત ફળ આપે છે તે અનુસંધાને  શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત SGVP ગુરૂકુલ રીબડા (રાજકોટ) ખાતે મોહિની એકાદશીના પુનિત પર્વે વહેલી સવારે ઠાકોરજીની ષોડશોપચાર મહાપૂજા દરમ્યાન પુરૂષ સુકતના મંત્રો, જનમગલ અને સર્વમંગલની નામાવલિથી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ ઠાકોરજીનું પૂજન કર્યુ હતું. જેમા હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરૂપદાસજી સ્વામી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 

(1:41 pm IST)