રાજકોટ
News of Saturday, 31st October 2020

સોમવારે નરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિનઃ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પ

રાજકોટઃ સિવીલ હોસ્પિટલના થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કિડની- કેન્સરના દર્દીઓને તથા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી, અત્યારના કોરોનાના કપરા સમયમાં જયારે બ્લડની ખુબજ અછત રહેતી હોય તા.૨ નવેમ્બરનાં સોમવારે સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી, કાઠીયાવાડ- જીમખાના, રાજકુમાર કોલેજની સામે 'અકિલા'ના વરીષ્ઠ પત્રકાર અને રાજકોટ રા.લો.સંઘના ચેરમેન ગૌ પ્રેમી શ્રી નરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિન નિમિત્તે તેમજ રાજકોટ મીરર અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ મીરરના શ્રી યશપાલસિંહ જાડેજા, શ્રી દર્શનસિંહ જાડેજા, શ્રી પ્રતિપાલસિંહ જાડેજા, તેમજ શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાણી (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦), ભાવેશ જાદવ, તેમજ સીવીલ હોસ્પિટલની એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ્દ સેવા આપશે. બહોળી સંખ્યામાં રકતદાતાઓને રકતદાન કરવા અનુરોધ કરાયો છે. નરેન્દ્રસિંહ જાડેજા (મો.૯૮૨૪૦ ૭૭૭૯૩)

(2:32 pm IST)