News of Thursday, 31st October 2019
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમીતે પદાધિકારીઓ, કોર્પોરેટરો, દ્વારા પુષ્પાંજલિ અર્પણ
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આજ તા.૩૧ ઓકટોબરના રોજ ભારત દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મજયંતી નિમીતે તેઓની પ્રતિમાને મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ શહેર અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટરો મનીષભાઇ રાડીયા, રૂપાબેન શીલુ, અશ્વિનભાઇ ભોરણીયા, રાજુભાઇ અઘેરા, ડો. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, દુર્ગાબા જાડેજા, જાગૃતિબેન ઘાડીયા, અનીતાબેન ગોૈસ્વામી, દક્ષાબેન ભેસાણીયા, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી વગેરેએ પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી.
(3:43 pm IST)