જયનગરમાં પાડોશી મહિલા સાથે વાતો કરવા બાબતે જગદીશ કોળી પર હુમલો
મહિલા સાથે શું કામ વાતો કરે છે કહી રોહીત, ગોરધન, વનરાજ અને કરણે લાકડીથી ફટકાર્યો
રાજકોટ તા.૩૧: કોઠારિયા રોડ પર જયનગરમાં મહિલા સાથે શું કામ વાતો કરે છે કહી કોળી યુવાનને ચાર શખ્સોએ લાકડીથી માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કોઠારિયા રોડ રણુજા મંદીર પાસે જયનગરમાં રહેતો જગદીશ રઘુભાઇ ખોરાણી (ઉ.વ.રર) ગઇકાલે ઘર પાસે ફાંકી ખાવા ગયો હતો. ફાંકી લઇને આવતો હતો ત્યારે તેના ઘરની બાજુમાં રહેતી મહિલા સાથે વાતો કરતો હતો.
દરમ્યાન ત્યાંથી પસાર થતા રોહીત ચાવડા, ગોરધન દેશવભાઇ, વનરાજ અને કરણ તેને જોઇ જતા જગદીશને બોલાવી મહિલા સાથે શું વાતો કરે છે કહી ઝઘડો કરી કરણ અને રોહીતે ઉશ્કેરાઇને લાકડી વડે માર મારી હાથે અને પગમાં ઇજા કરી ભાગી ગયા હતા. બાદ જગદીશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે આજીડેમ પોલીસમથકના હેડ કોન્સ. હેમતભાઇ તથા દેવાનંદભાઇએ ચારેય શખ્સો વિરૂધ્ધ એનસી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.