રાજકોટ
News of Thursday, 31st October 2019

અહેમદભાઈએ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફે ચાદર ચડાવી

રાજકોટ : ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટીના સભ્ય અને રાજયસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલ તાજેતરમાં જ રાજકોટ આવ્યા હતા. તેઓએ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફે ઝીયારત કરી હતી અને ચાદર ચઢાવી હતી. આ પ્રસંગે કોંગી અગ્રણી શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી નરેશભાઈ રાવલ, શ્રી મિહીર શાહ, શ્રી યુનુસ જુણેજા, શ્રી ઈમરાન પરમાર, શ્રી અફઝલ જુણેજા અને શ્રી રાજદીપસિંહ જાડેજા અને રાજકોટ રેલ્વે મઝદૂર સંઘના સેક્રેટરી શ્રી હિરેન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(1:25 pm IST)