કાલે શાળા નં. ૧૯ કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલનું ઇ-લોકાર્પણ વિજયભાઇના હસ્તે થશે
ગુજરાત સરકારના શુસાસનમાં પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત
રાજકોટ,તા. ૩૧: રાજય સરકારના શુસાસનના પાંચ વર્ષ 'સૌના સાથ, સૌના વિકાસ' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧ના રોજ શ્રીમતી જયાલક્ષ્મી પાઠક પ્રા. શાળા નં.૧૯નું નિર્માણ પામેલ તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલનું ઈ-લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, માન.શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા નવસારીના માન.સાંસદ સી.આર. પાટીલ કાર્યક્રમમાં જોડાશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિતએ જણાવ્યું છે.
આ અવસરે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.