રાજકોટ
News of Thursday, 31st May 2018

પૂ. વસંતબેન મોદીનું જીવન ભાવી પેઢી માટે પ્રેરણારૂપ : વિજયભાઇ રૂપાણી

રાજકોટ : સામાજીક અગ્રણી જૈજ શ્રેષ્ઠી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ મંત્રી તથા સરદારનગર સંઘના મંત્રી, ાહાજન પાંજરાપોળ ના મંત્રી '' દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ'' ઢોલરા ના સલાહકાર સભ્ય અને જૈન સોશ્યલ ગૃપ રાજકોટ મીડટાઉન ના પૂર્વ પ્રમુખ, જીવદયા ગૃપ-રાજકોટના માર્ગદર્શક ઉપેનભાઇ મોદી તથા રોટરી કલમ ઓફ રાજકોટ ગ્રેટર તથા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ ના કારોબારી સભ્ય રાજેનભાઇ મોદીના માતુશ્રી વસંતબેન મોદીના દુઃખદ નિધન પ્રસંગે મોદી પરીવાર સાથે આત્મીય નાતો ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અ ેતેમના  નિવાસ સ્થાને  જઇ પૂ. વસંતબેન મોદીને ભાવાજંલી આપી અને મોદી પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇરૂપાણી જણાવ્યું હતું કે પૂ. માતુશ્રી વસંતબેન મોદી ખરા અર્થમાં ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ નીવન જીવી ગયા.સમાજે એક પ્રખર નીવદયા પ્રેમીને ગુમાવ્યા છે. તેમના નિધનથી માત્ર મોદી પરિવાર જ નહિં પરંતુ જૈન સમાજને પણ મોટી ખોટ પડી છે. આ પ્રસંગે મોદી પરિવારના મોભી રાજેનભાઇ મોદી અને ઉપેનભાઇ મોદી એ મુખ્યમંથ્રી જિયભાઇ રૂપાણી પ્રત્યે પોતાની  કૃતજ્ઞતાભાવ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મ્યુનીસીપાલીટી ફાઈનાનસ બોર્ડના ચેરમેન ઘનસુખ મંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ પણ સાથે  રહ્યા હતા. મોદી પરિવારના અપુર્વ મોદી, મીહીર મોદી, દર્શન લાખાણી, વિનુભાઇ મહેતા, સુભાષભાઇ શાહ તથા જીતુભાઇ કોઠારી, સુનીલભાઇ વોરા, અનુપમભાઇ દોશી, નલીન તન્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉલ્લેખઅનીય છે કે શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી પરદેશથી માતુશ્રી પૂ. વસંતબેન મોદીના અવસાન પ્રસંગે ઉપેનભાઇ મોદીને રોકસંદેશ પાઠવેલ હતો. માતુશ્રી પૂ. વસંતબેન મોદીનીસ્મશાનયાત્રામાં જૈન સંઘના હોદેદારો, રાજકીય આગેવાનો રમેશભાઇ રૂપાપરા, ઉદયભાઇ કાનગડ, દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ તથા સામાજીકસંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા.પોલિસમમિશ્નર અનુપસિંહ ગેશલોત તથા ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, અધિક કલેકટર હર્ષદભાઇ વોરા પ્રર્થનાસભામાં ઉપસ્થિત રહી શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

(4:04 pm IST)