રાજકોટ
News of Thursday, 31st May 2018

આર.એમ.એસ.માંથી ગુલાબસિંહ સોલંકી અને ભારતીબેન બુદ્ધભટ્ટી નિવૃત

રાજકોટ, તા. ૩૧ : રેલ્‍વે મેઈલ સર્વિસ (આર.એમ.એસ.) ઓફીસમાં શ્રી ગુલાબસિંહ આર. સોલંકી તેમજ શ્રીમતી ભારતીબેન એસ. બુદ્ધભટ્ટી વયમર્યાદાના કારણે આજરોજ નોકરી ઉપરથી રીટાયર્ડ થતાં એક કાર્યક્રમ રાખવામાં આવેલ. તેમાં આર.એમ.એસ. ઓફીસના ઓફીસરો તેમજ ઓફીસ સ્‍ટાફ મિત્રો હાજર રહી તેમને વિદાય સમારંભ આપેલ અને તેઓની રીટાયર્ડ લાઈફ તંદુરસ્‍ત તેમજ નિરોગી રહે તેવી શુભકામના આપેલ હતી.

(3:04 pm IST)