News of Tuesday, 31st March 2020
પરશુરામ શરાફી મંડળી દ્વારા ૧૧ લાખ રાહત ફંડમાં
અગ્રણી શરાફી સહકારી મંડળીઓમાં સ્થાન ધરાવતી પરશુરામ શરાફી સહકારી મંડળી દ્વારા કોરોનાની મહામારી સામે લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧૧ લાખનું માતબર દાન અર્પણ કરવામાં આવેલ છે. આ રકમનો ચેક રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનને સુપ્રત કરાયો હતો. તે સમયની તસ્વીરમાં મંડળીના ચેરમેન કૌશિકભાઇ શુકલ, વાઇસ ચેરમેન એડવોકેટ વિજયભાઇ વ્યાસ, માનદ મેનેજીંગ ડીરેકટર દિલીપભાઇ પંડયા વગેરે ઉપસ્થિત નજરે પડે છે.
(3:39 pm IST)