શનિવારે ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે લોકસાહિત્યનો કાર્યક્રમ
ભાવેશ આડેસરા અને અંકિતા સોની રસલ્હાણ પીરસશે : ગૌપ્રેમીઓને ઉમટી પડવા સોની યુવા સોશ્યલ ટ્રસ્ટની હાકલ
સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે લોકસાહિત્યનો કાર્યક્રમ રાખેલ છે. જેની વીગતો વર્ણવતા સંસ્થાના હોદેદારો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તાઃ ૩૧ અર્ધદુષકાળથી પીડિત સૌરાષ્ટ્રમાં ગાયોના ઘાસચારા માટે અનેકવિધ સેવાયજ્ઞો થતા રહે છે ત્યારે રાજકોટના આંગણે સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે શનિવારે લોકસાહિત્યનો કાર્યક્રમ રાખેલ છે
તા ૨ ને શનિવારે અરવિંદભાઈ મણીયાર હોલ જયુબિલી ગાર્ડન ખાતે રાત્રે ૯ વાગ્યે આયોજિત કાર્યક્રમમાં સોની સમાજના ગૌરવાંકિત કલાકારો ભાવેશ આડેસરા ને અંકિતા સોની લોક સાહિત્યની રસલ્હાણ પીરસશે જયારે એન્કરિંગ હિતેષભાઇ મોડેસરા સાંભળશે
આજે અકિલા કાર્યાલય ખાતે ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ વાગડીયા ,ઉપ પ્રમુખ રાજેશભાઈ પાટડીયા,મંત્રી વિનુભાઈ વઢવાણા સહિતનાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અછતની સ્થિતિમાં ગાયોના ઘાસચારાની સ્થિતિ વિકટ બની છે ત્યારે સંસ્થા દ્વારા શનિવારે ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે લોકસાહિત્યનો કાર્યક્રમ રાખેલ છે જેમાં શહેરના તમામ ગૌપ્રેમીઓને ઉમટી પડવા અપીલ છે
જીજ્ઞેશભાઈ વાગડિયાએ કલાકારો અંગે કહ્યું હતું કે બંને કલાકારો સોની સમાજના ગુરવરૂપ છે નાની વયે બંને કલાકરોએ યુટ્યુબ પર ધૂમ મચાવી છે ભાવેશભાઈ આડેસરાએ અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ કાર્યક્રમ આપી ચુકયા છે જયારે અંકિતા સોની પણ ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે અને ધાર્મિક ગીતોમાં ખુબ પ્રચલિત છે બંને કલાકારોની ઓડિયો કેસેટ પણ બનેલી છે
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જશુભાઇ સોની, વિનુભાઇ પારેખ, ભાયાભાઇ સાહોલીયા, પ્રભુદાસભાઇ પારેખ, કનુભાઇ પાટડીયા, અશોકભાઇ ઝીંઝુવાડીયા, ડો. હેમાંગભાઇ વસાવડા, નવનીતભાઇ પાટડીયા, રાજુભાઇ એ. રાણપરા, નલીનભાઇ પાટડીયા, હસુભાઇ મોડેસરા, શોભનભાઇ પારેખ, હિતેષભાઇ બી ચોકસી, મયુરભાઇ આડેસરા, હિતેષભાઇ રાણપરા, ધર્મેશભાઇ બી. પારેખ, હરેશભાઇ ગેરીયા, ચીમનભાઇ પાટડીયા, મનીષભાઇ પાટડીયા, કેતનભાઇ આડેસરા, મહેશભાઇ પાટડીયા, દશરથભાઇ પારેખ, કેતનભાઇ પાટડીયા, ભાવેશભાઇ બી. પારેખ, રાજુભાઇ પાટડીયા, કયુરભાઇ વાગડીયા, મુકેશભાઇ ઝવેરી, રવિકુમાર સૈની, ભરતભાઇ પી. રાણપરા, હેમાંશુભાઇ પારેખ, કામીનીબેન સોની, વર્ષાબેન રાણપરા, રંજનબેન પારેખ, પ્રફુલ્લાબેન સોની વગેરે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના કન્વીનર રાજેશભાઇ પાટડીયા, કલ્પેશભાઇ પારેખ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ રાજકોટ પ્રમુખ જીજ્ઞેશભાઇ વાગડીયા, ઉપપ્રમુખ રાજેશભાઇ પાટડીયા, મંત્રીશ્રી વિનુભાઇ વઢવાણા, સહમંત્રીશ્રી હરેશભાઇ ભુવા, ખજાનચી શૈલેષભાઇ પાટડીયા, સહખજાનચી પરેશભાઇ પાટડીયા, કારોબારી કલ્પેશભાઇ પારેખ, નિલેશભાઇ જડીયા, હિતેષભાઇ વાગડીયા, ભાવેશભાઇ પાટડીયા, અનિલભાઇ આડેસરા, સભ્યો તેજસભાઇ પારેખ, કલ્પેશભાઇ પાટડીયા, અમરીશભાઇ ઝવેરી, મોહિતભાઇ પાટડીયા, પીન્ટુભાઇ પાટડીયા, વગેરે જહેમત ઉઠાવી રહયા છે.