ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા કોરોના વોરીયર્સ અધિકારીઓનું સન્માન
રાજકોટઃ ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક પ્રમુખ હેમરાજભાઇ પાડલીયાની આગેવાની હેઠળ કોરોનાના કપરા સમયમાં ફરજ બજાવતા સમગ્ર ગુજરાતના દરેક જીલ્લાના પોલીસ કમિશ્નરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીનું મોમેન્ટ (શિલ્ડ) આપીને સન્માન કરાયું હતું તેમજ ભારત માતાના વીર સપુત સ્વાતંત્ર સેનાનીઓની પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ, જે અંતર્ગત ઋષિવંશી સમાજ સેવા સંઘ રાજકોટ દ્વારા પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, પોલીસ-અધિક્ષકશ્રી બલરામ તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘનું મોમેન્ટ આપીને સન્માન કરાયેલ તેમજ વાળંદ સમાજની વાડી ખાતે આવેલ જગત જનની શ્રી લીંમ્બચ ભવાનીમાં તેમજ સંતશ્રી સેન મહારાજની પ્રતિમાને શ્રી છત્રપતી શીવાજી મહારાજ, શ્રી સ્વામી વિવેકાનંદ, શ્રી મહાત્મા ગાંધીજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, શ્રી બાબા સાહેબ આંબેડકર, તેમજ કારગિલ યુધ્ધમાં શહિદ વીર જવાન શ્રી મુકેશભાઇ રાઠોડ તેમજ ૧૯૭૧ અને કારગિલ યુધ્ધના વિજયમાં મહત્વ પુર્ણ યોગદાન આપનાર કોટેચા ચોક રાજકોટ આવેલ ફાઇટર પ્લેન મીગ વીમાનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના પ્રવકતા મહેશભાઇ રાઠોડ, હસમુખભાઇ રાઠોડ, સુનિલભાઇ પાડલીયા, દીનેશભાઇ શીશાંગીયા, ભોલેષભાઇ વૈષ્ણવ, સુરેશભાઇ ચુડાસમા, ધર્મેશભાઇ સોલંકી, દેવભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ છાત્રોલા, દિપકભાઇ હીરાણી, હિતેશભાઇ ખોરજા, કેતનભાઇ જાદવ, બીટુભાઇ ગોહેલ, કીશોરભાઇ મારૂ, ચિરાગભાઇ વાજા, શૈલેષભાઇ રાવરાણી, મનિષભાઇ રાઠોડ, દીલીપભાઇ ગોહેલ, અશ્વીનભાઇ સોલંકી, ધ્રૃવ સોલંકી સહિત અનેક કાર્યકર મિત્રોએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી.