સિવિલ હોસ્પિટલમાંથી અશકત મળેલા વૃધ્ધાને ઘરે પહોંચાડાયા, ત્યાંથી ફરી સિવિલમાં અને હવે મોત
રાજકોટ તા.૩૦: બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ પાસે એક અશકત બિમાર મહિલા બિનવારસ હાલતમાં પડ્યા હોઇ આ વખતે સિકયુરીટી ટીમ વહારે આવી હતીઅને મહિલાની પુછતાછ કરતાં તેમણે પોતે વાવડી પાસે આવેલા ખોડલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં હોવાનું અને પોતાનું નામ રીટાબેન અવિનાશભાઇ મગન (પંજાબી બ્રાહ્મણ) (ઉ.વ.૫૦ )હોવાનું કહ્યું હતું. પોતાને ૧૪/૧૦ના રોજ કોવિડનો ટેસ્ટ કરાવવા લાવવામાં આવ્યા હતાં. એ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એ પછી તેઓ અહિ જ હતાં. આ ઉપરાંત પોતાને દિકરો-દિકરી હોવાનું પણ તેના ઘરે નહિ જવું હોવાનું પણ તેણે કહ્યું હતું. ત્યારબાદ તેમને ૧૮૧ મારફત વાવડી લઇ જવાયા ત્યાંથી ફરી બિમારીની સારવાર માટે પરમ દિવસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન અહિ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં તાલુકા પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી સ્વજનોને મૃતદેહ સોંપ્યો હતો.