રાજકોટ
News of Wednesday, 30th September 2020

કોરોના ટેસ્ટ ડર્યા વગર કરાવોઃ રિપોર્ટર મોહિત ભટ્ટ

રાજકોટ : કોરોનાની મહામારીના સમયમાં ટી.વી. - ૯ ના રાજકોટના રીપોર્ટર મોહિત ભટ્ટે લોકોને કોરોનાથી ડર્યા વિના આ મહામારીથી બચવા સાવચેત રહેવાની સાથે તેમના કોરોના ટેસ્ટ કરાવવા પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું છે કે, કોરોના એક વૈશ્વીક મહામારી છે. આ મહામારી જીવલેણ ત્યારે જ સાબિત થાય જયારે આપણે સતર્કતા - જાગૃતતા ન હોય.

લોકોને હું અપીલ કરૃં છું છે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સાવચેત રહો. અત્યારના સમયમાં માસ્ક - સેનિટાઈઝરનો ઉપયોગ તો સૌ કોઈ કરે જ છે. પરંતુ કોઈને પણ જો કોઈપણ પ્રકારના લક્ષણ દેખાય તો તુરંત જ ટેસ્ટ કરાવો.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જયારે લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરતાં હોય તો આપણે પણ આગળ આવી કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. વધુને વધુ કોરોના ટેસ્ટ કરાવવાના કારણે પોઝીટીવ દર્દીઓ બહાર આવશે. અને તેની ઝડપી સારવાર થઈ શકશે. આના કારણે રાજકોટમાં કોરોનાના સંક્રમણને આપણે સફળતાપૂર્વક ડામી શકીશુ. અને બહુ ઝડપથી આપણે કોરોના સામે વિજય મેળવી શકીશુ. 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(1:24 pm IST)