ભારત-તિબ્બત સંઘના પ્રાંત ઉપાધ્યક્ષ પદે અર્ચનાબેન ઠાકરની વરણી
રાજકોટ તા. ૩૦ : ડો. મૃણાલીનીબેન ઠાકરની યાદી મુજબ ભારત-તિબ્બત સંઘ, તિબ્બતનુ સમર્થન અને આઝાદી માટે અને કૈલાસ માનસરોવની મુકિત અને રાષ્ટ્રીય સુરક્ષા માટે લોક જાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્રવાદ માટે કાર્યરત છે.
વર્તમાનમાં ભારત-તિબ્બત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતની સુપ્રિમ કોર્ટની સેવા નિવૃત ન્યાયાધીશ જ્ઞાનસુધ્ધા મિશ્રા, મહામંત્રી તરીકે રાજસ્થાન હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાષાી સૌરભ સારસ્વત છે. ભાવેશ જોષી (બાપજી) પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રાંત ડો. મૃણાલીની ઠાકર પ્રદેશ અધ્યક્ષ મહિલા વિભાગ, પ્રદેશ મહામંત્રી હિરેનભાઇ શાહ છે.
ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ પદે અર્ચનાબેન નયનભાઇ ઠાકરની વરણી કરાઇ છે તેઓ એબીવીપીના જુના કાર્યકર છે. અને હાલ બીજેપીમાં મહિલા પાંખમાં ઉપપ્રમુખ પદે સેવા આપી રહ્યા છે. અમદાવાદ રહે છે. તેમની વરણીને ભારત તિબ્બત સંઘના પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોષી (બાપજી), ડો. મૃણાલીની ઠાકર પ્રદેશ અધ્યક્ષ મહિલા વિભાગ ગુજરાત પ્રાંત, તથા પ્રદેશ મહામંત્રી હિરેનભાઇ શાહ, પ્રદેશના હોદેદારો, કાર્યકરોએ તથા રાજકોટ મહાનગર અધ્યક્ષ યોગીનભાઇ છનીયાર, યુવા વિભાગ રાજકોટ મહાનગરના અધ્યક્ષ ભવદિપ ત્રિવેદી તથા નિખીલભાઇ ભટ્ટ, રીનાબેન દવે, દિવ્યાબેન ભટ્ટ, ડો. અર્જુન દવે, લતાબેન ચૌહાણ, પી.ડી.ઠાકર, ડો. વિજયભાઇ પીઠડીયા વિગેરેએ આવકારી અભિનંદન, શુભેચ્છા પાઠવેલ તેમ સહ સંયોજક મિડીયા આઇટી (ગુજરાત પ્રાંત), ભારત, તિબ્બત સંઘની યાદીમાં જણાવાયું છે.