રાજકોટ
News of Thursday, 30th May 2019

સદ્ગુરૂ નેત્રયજ્ઞમાં ૩૦૫ દર્દીઓને નવી દ્રષ્ટિ

 રાજકોટઃ શ્રી અંબાબેન બાબુભાઇ ભાદાણી, શ્રી વિઠ્ઠલભાઇ બાબુભાઇ ભાદાણી, સુરત તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ સયુંકત ઉપક્રમે ૨૯મો શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૦૫ દર્દીઓને નવી દૃષ્ટ્રિ મળી હતી. આ નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવેલ હતા.

(3:34 pm IST)