News of Wednesday, 30th May 2018
મોડીરાત્રે કાલાવડ રોડ પરના ચક્કાજામ મામલે પોલીસની સમજાવટથી ટોળા વિખેરાયા:રસ્તા ફરી પૂર્વવત ચાલુ
રાજકોટ :આજે રાત્રે રાજકોટમાં કાલાવડ રોડ પર દલિત સમાજના ટોળા દ્વારા ચક્કાજામ કર્યો હતો આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડ્યો હતો અને સમજવટના અંતે મોડીરાત્રે ટોળા વિખેરાયા હતા અને મામલો થાળે પડ્યો હતો
આ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આત્મવિલોપન કરવા ગયેલી મહિલા સહીત ચારની અટકાયતના વિરોધમાં જડુસ હોટલ પાસે રાત્રે 9 વાગ્યા આસપાસ ચક્કાજામ કરાયો હતો બાદમાં પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા
(11:23 pm IST)