News of Wednesday, 30th May 2018
ભગવતીપરાના સદ્દગુરૂ પાર્કમાં પાણીની લાઇન તુટી
રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૪માં આવેલ ભગવતીપરા વિસ્તારમાં આવેલ સદગુરૂ પાર્કમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી પાણી લાઇન તુટી જવાથી રસ્તાઓમાં પાણીની રેલમ છેલ જોવા મળી રહી છે.જેના કારણે વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી વિતરણની ફરીયાદ ઉઠવા પામી છે. વિસ્તારવાસીઓનાં જણાવ્યા મુજબ અવાર નવાર આ અંગે તંત્રને ફરીયાદ કરવા છતા સમસ્યા ઉકેલાઇ નથી. ઉપરોકત તસ્વીરમાં રસ્તા પર પાણીની રેલમછેલ દર્શાય છે.
(4:09 pm IST)