રાજકોટ
News of Wednesday, 30th May 2018

પારસધામ જિનાલયના સુશ્રાવીકા

મીનાબેન તથા પુત્રી જીલ ભરતભાઈ પુનાતરે શેત્રુંજય તીર્થની ૯૯ યાત્રા પૂર્ણ કરીઃ રવિવારે અનુમોદના

રાજકોટ,તા.૩૦: પારસધામ સંઘ (નિર્મલા રોડ)ના સુ- શ્રાવિકા શ્રી મીનાબેન ભરતભાઈ પુનાતર તેમજ ચિ.જીલ ભરતભાઈ પુનાતરે ધોમધખતા ઉનાળામાં શ્રી સિધ્ધગીરી શેત્રુજયની ૯૯ યાત્રા સુખ શાતા રૂપ પરિપૂર્ણ કરેલ છે. તેમની અનુમોદના અર્થે શ્રી સંઘને પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. રવિવાર તા.૩ના રોજ તપસ્વી રત્ના પૂ.શ્રી હંસકિતીશ્રીજી મ.સા.નીિ નિશ્રામાં પુજય શ્રી તેમજ શ્રી સાધ્વીજી ભગવંતો નૂ સામૈયુ શ્રી પારસધામ જીનાલયથી શ્રીસંઘ સાથે સવારે ૭:૪૫ કલાકે વાજતે ગાજતે નિકળશે. ત્યાર બાદ પુજય શ્રીનું માંગલીક અને સકલ સંઘની નવકારશી. ૫- બાલમુકુદ પ્લોટની બાજુમાં, યોજાશે. સકળ સંઘને લાભ લેવા નિતાબેન અશ્વિનભાઈ શાહ (બનારસવાળા)એ આમંત્રણ પાઠવ્યું છે.

(4:00 pm IST)