News of Wednesday, 30th May 2018
બોર્ડમાં વિરાણી બહેરા મૂંગા શાળાનું ૫૪.૧૭% પરિણામ
રાજકોટ : શ્રી છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળા, રાજકોટ સંચાલિત ડો. પી. વી. દોશી મુકબધીર માધ્યમિક શાળા મારફત આ વર્ષે શાળાના ૨૪ વિદ્યાર્થીઓએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપેલ જે પૈકી ૧૩ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. શાળાના કોચીંગવર્ગનું સરેરાશ રીઝલ્ટ ૫૪.૧૭% આવેલ છે. દરેક વિદ્યાર્થીઓને સંસ્થા પરીવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
(3:51 pm IST)