રાજકોટ
News of Wednesday, 30th May 2018

સમોઝાદ વિદ્યા મંદિરનું ધો.૧૦નું ૫૯.૩૦% પરિણામ : મિતેષ સુદ્રા સ્‍કુલ ફર્સ્‍ટ

રાજકોટ : અત્રેની મવડી પ્‍લોટ વિસ્‍તારની શૈક્ષણિક સંસ્‍થા સમોઝાદ વિદ્યા મંદિર (ગ્રાન્‍ટેડ મા. શાળા)નું ધો.૧૦નું પરિણામ ૫૯.૩૦% આવેલ છે. જેમાં સુદ્રા મિતેશ શાળા પ્રથમ, દેવળીયા રોહિત દ્વિતીય અને ગોંડલીયા ખુશાલીએ તૃતીય સ્‍થાન પ્રાપ્‍ત કરી શાળા પરીવારનું ગૌરવ વધારેલ છે.

ધો.૯ થી ૧૧માં પ્રવેશ ચાલુ છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને શાળા તરફથી ગણવેશ અને સરકાર તરફથી પાઠય પુસ્‍તકો વિનામૂલ્‍યે આપવામાં આવે છે. તેમજ સરકારની અન્‍ય સહાય મળવાપાત્ર હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(2:39 pm IST)