રાજકોટ
News of Monday, 30th March 2020

રાજકોટના સરકારી વકીલોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં એક માસનો પગાર આપ્યો

રાજકોટ તા. ૩૦: રાજકોટના તમામ સરકારી વકીલોએ એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે.

રાજકોટ જીલ્લા અને શહેરમાં મળી કુલ ૧૯ સરકારી વકીલશ્રીઓ ફરજ બજાવે છે તમામ સરકારી વકીલશ્રીઓએ પોતાને મળતું એક માસનું વેતન રૂ. ૩૦,૦૦૦/- મુખ્ય મંત્રીશ્રી રાહત ફંડમાં આર્થિક યોગદાન આપી નૈતિક ફરજ બજાવેલ છે.

હાલ રાજકોટ શહેર ત્થા જીલ્લો મળી કુલ ૧૯ સરકારી વકીલ છે અને ગુજરાત રાજયમાં કુલ ર૭૩ સરકારી વકીલો છે તમામે પગાર જમા કરાવેલ છે.

(3:52 pm IST)