રીયલ એસ્ટેટ એકસ્પોની સફળતા બદલ પ્રભુ ગ્રુપ દ્વારા સન્માન
રાજકોટઃ તાજેતરમાં યોજાયેલ રીયલ એસ્ટેટ એકસ્પોની સફળતાને અનુલક્ષીને રાજકોટના જાણીતા બિલ્ડર પ્રભુ ગ્રુપના શ્રી છબીલભાઇ પોબારુ, શ્રી રાજુભાઇ પોબારુ, શ્રી સિદ્ધાર્થભાઇ પોબારુ તથા શ્રી દિશીતભાઇ પોબારુ દ્વારા રાજકોટના પ્રભુફાર્મ અને રિસોર્ટમાં આરબીઆઇ અને આઇઆઇડીના મહાનુભાવોનો સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો.
જેમાં શ્રી પરેશભાઇ ગજેરા, શ્રી દિલીપભાઇ લાડાણી, શ્રી હરિશભાઇ લાખાણી, શ્રી રાજદીપસિંહ જાડેજા, શ્રીમતી શૈલીબેન ત્રિવેદી, શ્રી કિશોરભાઇ ત્રિવેદી, શ્રી હરેશભાઇ પરસાણા, શ્રી છબીલભાઇ પોબારૂ, શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રી જયસુખભાઇ ઘોડાસરા, શ્રી વિરલભાઇ સિલ્હર, શ્રી કિરીટભાઇ ડોડીયા, વિ.ઉપસ્થિત રહયા હતા. પ્રભુ ગ્રુપના શ્રી રાજુભાઇ પોબારુએ જણાવ્યુ હતું કે આરબીઆઇ અને આઇઆઇડી દ્વારા આ ખરેખર સન્માનિત જનક આયોજન થયુ હતું. છ દિવસના આ ભવ્ય એકસ્પોમાં જાણીતા અને સર્વશ્રેષ્ઠ બિલ્ડર તથા ઇન્ટીરીયર ડિઝાઇનર, એકસેસરીઝના સપ્લાયર્સને એક છત નીચે આવરી લેવા તે ખરેખર ગર્વની વાત છે. આવું આયોજન સમયાંતરે કરતા રહેવું જોઇએ જેથી એક બીજા બિલ્ડર અને સપ્લાયરની ચેન વધુ મજબૂત થાય, ઉપરાંત પ્રોપર્ટીના બાયર્સને પણ આ એક જ છત હેઠળ રોકાણના કે ખરીદવાના ઘણા નવા ઓપ્શન પણ મળી શકે છે.