આઇશ્રી પીઠડ માતાજીની જન્મજયંતિ ઉત્સવની ઉજવણી
રાજકોટઃ શ્રી અખિલ મચ્છુ કઠિયા સઇ સુથાર સમસ્ત પીઠડીયા પરિવાર દ્વારા આઇશ્રી પીઠડ માતાજીની જન્મજયંતિ ઉત્સવ અંતર્ગત સામૈયું-મહાઆરતી-મહાપ્રસાદ-લોકડાયરો જેવા કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. અન્નકોટ સામૈયું, મહાઆરતી મહાપ્રસાદ તેમજ લોકડાયરામાં શ્રી ભવદીપભાઇ રાવલ(ઑબલાવાડા) એ જમાવટ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડો.એમ.વી.વેકરીયા, મહેશભાઇ રાઠોડ, હરેશભાઇ જોશી, સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગને સફળ બનાવવા દીપકભાઇ પીઠડીયા, જીતુભાઇ પીઠડીયા, રણજીતભાઇ પીઠડીયા, દિલીપભાઇ પીઠડીયા, હિતેશભાઇ પીઠડીયા, અશ્વિનભાઇ પીઠડીયા, રક્ષિતભાઇ પીઠડીયા, દિલીપભાઇ(ખેરડીવાળા), પરેશભાઇ પીઠડીયા, કેતનભાઇ પીઠડીયા, મીનાબેન પીઠડીયા, અમિતાબેન પીઠડીયા, હર્ષાબેન પીઠડીયા, રૂપલબેન પીઠડીયા, તેમજ પીઠડીયા પરિવારના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.