જે. જે. કુંડલીયા કોલેજ અને મહાત્મા ગાંધી ટ્રસ્ટ દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
રાજકોટ : શ્રીમતી જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ હતી. રાજયના પૂર્વશ્રમ મંત્રી અને મહાત્માગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. ટ્રસ્ટી ડો. અલ્પનાબને ત્રિવેદીએ ભારતીય બંધારણ વિષે તેમજ શહીદોને યાદ કરીને કુરબાનીઓને બિરદાવી વિદ્યાર્થીઓને નેશન ફસ્ટનું સુત્ર આપેલ. પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશ જોષીએ પ્રાસંગીક પ્રવચન કર્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, વકતવ્ય અને નૃત્યો સહીત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયેલ. પ્રિન્સીપાલ પ્રીતિબેન ગણાત્રા, પ્રિન્સીપાલ તૃપ્તિબેન જોશી, પ્રિન્સીપાલ વિનોદ ગજેરા તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ, અધ્યાપકોએ ઉપસ્થિત રહી તીરંગાને સલામી આપી હતી.