રાજકોટ
News of Monday, 30th January 2023

અકિલાના જૂનાગઢના પત્રકાર વિનુભાઇ જાષીના પુત્ર વિરલ જાષીઍ ન્યુઝીલેન્ડમાં નવી કેડી કંડારી..

જૂનાગઢઃ જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલભાઇ આજથી ત્રણ વર્ષ પહેલા ન્‍યુઝીલેન્‍ડ જઇ ત્‍યાંના ઓકલેન્‍ડ સીટીમાં મનુકાઉ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)માં હ્યુમન રિસોર્સ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરી અને ત્‍યાંની બોનાકોર્ડ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આસી. મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્રણ વર્ષ બાદ તેઓ એક માસની રજા લઇ ભારત જૂનાગઢ વતન આવતા તેમણે રાજકોટ ‘અકિલા' પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાના આશિર્વાદ મેળવ્‍યા હતા. એ વેળાની તસ્‍વીરમાં પૂ. કિરીટભાઇ ગણાત્રા, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તેમજ ન્‍યુઝીલેન્‍ડથી આવેલ વિનુભાઇ જોષીના પુત્ર વિરલભાઇ જોષી તેમજ મૈત્રય જોષી અને જૂનાગઢ પંથકના ખૂબ જ જાણીતા પત્રકાર સ્‍વ. સૂર્યકાંત જોષીના પુત્ર અભિષેક સુર્યકાન્‍ત જોષી, ભાવિનભાઇ મકવાણા વગેરે તસ્‍વીરમાં નજરે પડે છે.

(12:00 pm IST)