રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન તરીકે નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઇ ઠાકર બિનહરીફ
રાજકોટ તા. ૨૮ : રાજકોટ નાગરિક સહકારી બેંકના આગામી વર્ષ ૨૦૨૦- ૨૧ ના ચેરમેનપદે નલીનભાઇ વસા અને વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઇ ઠાકરની બિનહરીફ વરણી થઇ છે.
શનિવારે બેંકની હેડ ઓફીસના અદ્યતન ઓડીટોરીયમમાં બેંક ડેલીગેટ્સોની યોજાયેલ વાર્ષિક સભામાં સર્વાનુમતે આ વરણી જાહેર કરવામાં આવી હતી.
નલિનભાઇ વસા (મો.૯૪૨૮૨ ૯૪૨૮૩) સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ૧૯૯૫-૧૯૯૯ સુધી નાગરિક બેંકના ડીરેકટર તરીકે સેવા આપી ચુકયા છે. બાદમાં ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી બેંકના વાઇસ ચેરમેન તરીકે અને ૨૦૧૫ થી ચેરમેન તરીકે સેવા આપે છે. વ્યવસાયે ઉદ્યોગપતિ છે.શૈલેષભાઇ ઠાકર (મો.૯૮૨૪૨ ૯૨૨૪૧) બેંકમાં ૨૦૧૧ થી ડીરેકટર તરીકે સેવા આપે છે. સાથોસાથ વિવિધ સંસ્થાઓમાં સક્રીયતાથી કાર્ય કરી રહ્યા છે. શાંત અને સરળ સ્વાભાવ સાથે સાદગીપૂર્ણ વ્યકિતત્વ ધરાવે છે .તેઓ પણ વ્યવસાયે ઉદ્યોગપતિ છે.