વોર્ડ નં. ૩, ૧૦ અને ૧૫માં કોંગ્રેસનું જન જાગરણ - સભ્ય નોંધણી અભિયાન યોજાયું
રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૨૮ વોર્ડ નં. ૩,૧૦ અને ૧૫માં જન જાગરણ –સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા પગપાળા લોકસંપર્ક કરી પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારો અને કોરોના કાળમાં સરકારની નિષ્ફળ કામગીરી અંગે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારો સામાન્ય પ્રજાજનો બે છેડા ભેગા કરવા વલખા મારી રહ્યા છે. કોરોના કાળમાં સરકારની નિષ્ફળ કામગીરી અંગે પ્રજામાં ભાજપ સરકાર પ્રત્યે ભારે આક્રોશ, દરેક વર્ગના લોકોનું કોંગ્રેસ પક્ષના જન જાગરણ અને સભ્ય નોંધણી અભિયાનને સમર્થન મળ્યું હતું. જેમાં વોર્ડ નં.૩ માં જન જાગરણ –સભ્ય નોંધણી અભિયાન માં સહ પ્રભારી દિલીપભાઈ આશવાણી, અશોકસિંહ વાઘેલા, દીપકભાઈ ભાટિયા, નારાયણભાઈ પુરબીયા, મનુભાઈ પરમાર, નેભુભાઈ નેભાણી, પ્રકાશભાઈ શર્મા, કિશનભાઈ આશવાણી અને ગોવિંદભાઈ લીલાણી જોડાયા હતા. જયારે વોર્ડ નં.૧૦ માં પ્રભારી દિનેશભાઈ મકવાણા, સહપ્રભારી સુરજભાઈ ડેર, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા, પૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, શહેર મહામંત્રી ડી.બી.ગોહીલ, વોર્ડ મહામંત્રી નિલેશ વિરાણી, તૂષીત પાણેરી, હેમત ભટ્ટ, જીતુભાઇ લાવડીયા, જયસુખભાઈ ચૌહાણ જોડાયા હતા તેમજ વોર્ડ નં.૧૫ માં જન જાગરણ અને સભ્ય નોંધણી અભિયાન માં શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, કાર્યકારી શહેર પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, સહપ્રભારી પ્રવીણભાઈ સોરાણી, વશરામભાઈ ચાંડપા, વોર્ડ પ્રમુખ વાસુભાઈ ભંભાણી, કાર્યકારી પ્રમુખ નરેશભાઈ પરમાર, અરવિંદ મુછડીયા, હિરાભાઈ ચાવડા, પરેશભાઈ સોલંકી, રમેશભાઈ વઘેરા, અલ્તાફભાઈ ખફી, રામદેવસિંહ વાઘેલા, ભાણજીભાઈ દાફડા, અલ્તાફભાઇ રાઉમા, ભુપતભાઈ રાઠોડ, સુરેશભાઈ મકવાણા, કાળુભાઈ સોલંકી, લલીતભાઈ પરમાર, સગરામભાઈ રાઠોડ, હિતેશ સાકરીયા, ફેશલ માજોઠી અને નરેશભાઈ અઘેરા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.