રાજકોટ
News of Thursday, 29th November 2018

ઘંટેશ્વર ૨૫ વારીયાના હદપાર વનરાજ રાઠોડને પેરોલ ફરલો સ્કવોડે પકડ્યો

બે વર્ષ માટે શહેરમાં પ્રવેશબંધી હોવા છતાં ઘર પાસે આવ્યો'તો

રાજકોટઃ જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૧૩૪૦માં રહેતો આહિરા હજામ શખ્સ વનરાજ ઉર્ફ વિશાલ ભગુભાઇ રાઠોડ બે વર્ષ માટે રાજકોટ શહેરમાંથી હદપાર હોવા છતાં તેના ઘર પાસે આવતાં પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી. કે. ખાચરની રાહબરીમાં હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિગુભા જાડેજા, બકુલભાઇ વાઘેલા, મધુકાંતભાઇ, બાદલભાઇ દવે, કિશોરદાન ગઢવી, ધીરેનભાઇ ગઢવી, જયદેવસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, જગદીશભાઇ ગઢવી, મહમદઅઝરૂદ્દીન બુખારી અને ડ્રાઇવર હરિભાઇએ હેડકોન્સ. દિગુભા, કોન્સ. કિશોરદાન અને કોન્સ. ધીરેનભાઇની બાતમી પરથી પકડી લીધો હતો. આ શખ્સ ૧/૭/૧૭થી બે વર્ષ માટે હદપાર હતો.

(3:58 pm IST)