મુંગરા પરિવારનું રવિવારે સ્નેહમિલન
રાજકોટઃ મુંગરા પરિવાર દ્વારા નવા વર્ષમાં સ્નેહમિલન આ વર્ષે તા.૨ ડિસેમ્બરના રવિવારે, સાંજે ૪ વાગ્યાથી કલ્યાણમ્ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગોકુલ- મથુરા સામે, અયોધ્યા ચોક, આસ્થા રોડ, રાજોકટ ખાતે રાખવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં રાજકોટમાં વસતા મુંગરા પરિવારના નાનાથી લઈને વડિલો સુધીના પરિવારના તમામ લોકો હાજર રહેશે. પારિવારિક સ્નેહમિલનનો હેતુ પણએ જ છે કે પરિવારના લોકો એકબીજાની નજીક આવે અને એકબીજાને ઓળખતા થાય.
આ સ્નેહમિલનમાં પરિવારના સભ્યોને જાણીતા વ્યાખ્યાનકાર શ્રી રમેશભાઈ પીપળીયા (થોરડીવાળા)ની વાણીનો આનંદ પણ માણવા મળશે. રમેશભાઈ પીપળીયા (થોરડીવાળા)ને આમંત્રણ અપાયું છે. આયોજનમાં અરવિંદભાઈ મુંગરા, સુરેશભાઈ મુંગરા, ધીરજભાઈ મુંગરા, પંકજભાઈ મુંગરા, દિલીપભાઈ મુંગરા, જે.ડી.મુંગરા, વજુભાઈ મુંગરા, કિરીટભાઈ મુંગરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)