ઝડપાયેલા ઝૂબેર સમાના ભાઇ વસીમના ભીમરાવનગરના ડેલામાં રાત્રે ભેદી આગ
પોણા બે લાખનું નુકસાનઃ ભરવાડ શખ્સોએ આગ લગાડ્યાનો આક્ષેપ
રાજકોટઃ સાગરનગરમાં ભરવાડ અને દેવીપૂજક યુવાન પર હુમલો કરી માર મારી વિસ્તારમાં ગૂંડાગીરી આચરવાના ગુનામાં જે ચાર શખ્સોને આજીડેમ પોલીસે પકડ્યા છે તે પૈકી ઝુબેર બશીરભાઇ સમાના મોટા ભાઇ વસીમભાઇ બશીરભાઇ સમાના આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં આવેલા ભંગારના ડેલામાં પણ રાત્રીના બારેક વાગ્યા આસપાસ ભેદી રીતે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડને અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આગમાં અંદાજે ૧.૭૦ લાખનું નુકસાન થયાનું વસીમભાઇએ જણાવ્યું છે. તેણે શંકા દર્શાવી છે કે સાંજે તેના ભાઇ ઝુબેરને તે જુના યાર્ડમાં ઝીંઝરા લેવા ગયો હતો ત્યારે ભરવાડ લોકો સાથે માથાકુટ થઇ હતી. આ બાબતનો ખાર રાખી કોઇ ભરવાડ શખ્સોએ કાકડા નાંખી ડેલો સળગાવ્યો હશે? આ આક્ષેપ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં વસીમભાઇ અને તેના ડેલામાં બળી ગયેલી ચીજવસ્તુઓ જોઇ શકાય છે