News of Thursday, 29th October 2020
સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ પોલીસે લીધા ભ્રષ્ટાચાર નિર્મુલનના શપથ
રાજકોટઃ પ્રજામાં ભ્રષ્ટાચાર વિરૃધ્ધ જનજાગૃતિ લાવવા કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા ૨૭/૧૦ થી ૨/૧૧ સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત પોલીસ કમિશનર કચેરી ખાતે આજે કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓએ સતર્કતા જાગૃતિ સપ્તાહના શપથ લીધા હતાં. નિષ્ઠાપુર્વક કામગીરી અને પારદર્શિતા લાવવા પ્રયત્નશીલ રહેવાના તેમજ ભ્રષ્ટાચાર નિર્મુલન માટે અવિરતપણે કામ કરવાના શપથ લેવાયા હતાં.
(3:40 pm IST)