રાજકોટ
News of Thursday, 29th October 2020

સ્નેહના સંભારણાઃ વોર્ડ નં. ૯ શિવપરા ભાજપ આગેવાન રણછોડભાઇ સાટીયા વર્ષોથી હતાં નરેશ કનોડીયા સાથે સંપર્કમાં

રાજકોટઃ ગુજરાતી કલા જગતને ગોૈરવ અપાવનારા મહેશભાઇ કનોડીયાના નિધન બાદ તેમના ભાઇ ગુજરાતી ફિલ્મોના રજનીકાંત એવા નરેશભાઇ કનોડીયાનું પણ નિધન થઇ જતાં અસંખ્ય ચાહકો શોકમાં ગરક થઇ ગયા હતાં. નરેશ કનોડિયા સાથે રૈયા રોડ હનુમાન મઢી પાછળ વોર્ડ નં. ૯ના શિવપરામાં રહેતાં આ વિસ્તારના ભાજપ આગેવાન રણછોડભાઇ સાટીયાને વર્ષોથી સંપર્ક હતો. અવાર-નવાર તે નરેશભાઇને રૂબરૂ મળતાં હતાં. નરેશભાઇની વસમી વિદાયને પગલે રણછોડભાઇ શોકમાં ડુબી ગયા હતાં. તેણે પોતાના ઘરે જ નરેશભાઇની તસ્વીર સમક્ષ ધૂપ-દિપ જલાવી શ્રધ્ધાંજલિ આપી હતી. જેમાં બીજા કાર્યકરો પણ જોડાયા હતાં. રણછોડભાઇની નરેશભાઇ સાથેની આ તસ્વીર સ્નેહના સંભારણા સમાન બની રહી છે.

(2:42 pm IST)