રાજકોટ
News of Tuesday, 29th September 2020

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી

અનિલભાઇ દેસાઇએ કોરોનાને મ્હાત કર્યોઃ ફરી પૂર્વવત કાર્યરત

રાજકોટ : સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રથમ હરોળના નામાંકિત ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઇ દેસાઇએ કોરોના પોઝીટીવને પરાજીત કરેલ છે તેઓ પુનઃ પૂર્વવત કાર્યરત થઇ ગયા છે.

શ્રી અનિલભાઇનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે ઇશ્વરકૃપા અને વડીલોના આશિર્વાદ ત્થા શુભેચ્છેક-પરિવારજનોના સતત ભાવ અને પ્રાર્થનાથી હેમખેમ બહાર આવી ગયો છું અને આજથી પુનઃ કાર્યરત થઇ ગયો છું અનિલભાઇએ સહુનો આભાર માન્યો છે. અને બધાને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરી રાખવા અપીલ કરી છે.

(7:40 pm IST)