તબીયત સારી છે : ૨ થી ૩ દિવસમાં હાજર થઇશ : રેમ્યા મોહન
હાલ થોડી નબળાઇ છે : ડોકટરોએ આરામ કરવાનું કીધું છે : રાજકોટમાં હાલ રાત્રી કર્ફયુ અંગે કોઇ વિચારણા નહી
રાજકોટ તા. ૨૯ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનને કોરોનાની અસર થતા હાલ તેઓ તેમના ઘરે હોમ આઇસોલેશન છે, આજે બપોરે 'અકિલા' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હવે તેમની તબીયત ઘણી સારી છે, થોડી નબળાઇ છે, ડોકટરોએ આરામ કરવાનું હાલ કહ્યું છે.
બીજો રીપોર્ટ કરાવી લીધો કે કેમ તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે ના આ રીપોર્ટ હવે થશે, હાજર થવા અંગે તેમણે જણાવેલ કે, પોતે ૨ થી ૩ દિવસમાં હાજર થશે, અથવા તો આવતા વીકમાં સોમવારથી હાજર થાય તેવી શકયતા રહેશે.
અમદાવાદમાં નાઇટ કર્ફયુ લદાયો તેવું રાજકોટમાં નિર્ણય લેવાશે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું કે, પોતે હાજર થયા બાદ અધિકારીઓ પાસેથી વિગતો જાણી શહેર - જિલ્લાની સ્થિતિ જોઇ નિર્ણય લેવાશે, હાલ રાજકોટ જિલ્લામાં રાત્રી કર્ફયુ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.