સિવિલના સ્ટાફને રવિવારે પણ રજા નથી હોતીઃ ડો. દિનેશ ભટ્ટ
સરકારી હોસ્પિટલના સ્ટાફના સગાઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે તે માન્યતાને ખોટી ઠેરવતા જામનગરના તબિબ
રાજકોટ તા. ૨૯ : જેમની પુત્રી રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે મેડીસીન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજો બજાવે છે,એવા જામનગરના વતની ડો. દિનેશ ભટ્ટે સહર્ષ જણાવ્યું હતું કે,મારા અને તમારા જેવા સામાન્ય માણસોને રવિવારની રજા હોય છે,સિવિલના સ્ટાફને આવી કોઇ પણ પ્રકારની રજા હોતી નથી. તેઓ ૨૪*૭ અને ૩૬૫ દિવસકોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં સતત ખડે પગે હાજર જ હોય છે.
પાંચ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવવાથી ડો. મેધાવી ભટ્ટના પિતાશ્રીને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર પાંચ જ દિવસની સઘન સારવારથી તેઓ કોરોનામુકત થઇ શકયા છે. આ બાબતો રાજીપો વ્યકત કરતાં ડો. દિનેશ ભટ્ટે કહયું હતુંકે,સામાન્ય માણસોના મનમાં ઘર કરી ગયેલી એ વાત હું દૂર કરવા માંગુ છું કે,સરકારી હોસ્પિટલના ડોકટર્સ તેમના ઘરનાં સભ્યોની સારવાર અન્ય ખાનગી હોસ્પિટલમાં કરાવે છે. મારી દીકરી સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે,તેમ છતાં હું છેક જામનગરથી અહીં સારવાર લેવા આવ્યો છું. મેં ધાર્યું હોત તો હું સાવ સરળતાથી જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકત,પરંતુમારી દીકરી જયાં નોકરી કરે છે ત્યાં જ સારવાર લેવાનું મેં ઉચિત માન્યું,અને આજે હું માત્ર પાંચ જ દિવસમાં કોરોનાને હરાવી શકયો છું.
અહીંના ડોકટર્સ, નર્સ, એટેન્ડન્ટસ, સર્વન્ટસ વગેરે તમામ સ્ટાફની ફરજનિષ્ઠાની ખૂબ સરાહના કરી હતી.