News of Tuesday, 29th September 2020
કયારે વાગશે તાલઃ વાજીંત્રોની દુકાનો ખાલીખમ્મ
રાજકોટ : સામાન્ય રીતે હાલના સમયમાં નવરાત્રી નજીક આવતી હોય તેથી વાજીંત્રોની દુકાનોમાં ચહલ-પહેલ રહે છે. પણ કોરોનાના કારણે નવરાત્રી મહોત્સવ (પ્રાચીન-અર્વાચીન) ન યોજાય તેવ પરિસ્થિતિ છે. તેથી વાજીંત્રોની દુકાનમાં ગ્રાહકો દેખાતા નથી. ગણપતિ ઉત્સવના જાહેર આયોજનો પણ પ્રતિબંધીત હોવાથી વાજીંત્ર બજારને ઘણી મુશ્કેલીઓ પડી હતી. નવરાત્રી દરમિયાન કલાકારો અને લોકો દ્વારા પણ ઢોલ-નગારા-મંજીરા સહિતના પરંપરાગત વાજીંત્રોની ખરીદી-મરામત કરાવામાં આવતી હોય છે જે હાલ ઠપ્પ છે. તસ્વીરમાં શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલ વાજીંત્રોની દુકાનમાં વેપારી ગ્રાહકની રાહમાં દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(12:55 pm IST)